Blog

ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

વડોદરામાં ‘લુટેરી દુલ્હન’ ટોળકીનો પર્દાફાશ: લગ્નના બહાને લાખો ખંખેરનાર સૂત્રધાર મહેસાણાથી ઝડપાયો

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર ‘લુટેરી દુલ્હન’ સક્રિય થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મકરપુરા પોલીસ સ્ટેશનની ટીમે આ ટોળકીના મુખ્ય સૂત્રધારની મહેસાણાથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકીએ સુરેન્દ્રનગર જિલ્લાના એક નિર્દોષ યુવકને લગ્નની લાલચ આપી લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાનું બહાર આવ્યું છે. ૩.૭૫ લાખનો મુદ્દામાલ પડાવ્યો મળતી […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

અમદાવાદમાં ભારત-જર્મનીની મૈત્રીના ‘સપ્તરંગી’ દર્શન : PM મોદી અને ચાન્સેલર મેર્ઝએ ચગાવ્યા પતંગ

અમદાવાદ: ભારતની મુલાકાતે આવેલા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં સાબરમતી નદીના તટે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવોએ પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ગાંધીજીના નિવાસસ્થાન ‘હૃદયકુંજ’ની મુલાકાત લઈ રેંટિયો કાંતવાની પ્રક્રિયા નિહાળી હતી. ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન અને આત્મનિર્ભરતાના સંદેશ પ્રત્યે […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદમાં પતંગની દોરીથી ગંભીર અકસ્માત: ૧૫ વર્ષીય કિશોરી થઈ ઈજાગ્રસ્ત

આણંદ: ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યભરમાં પતંગની દોરીથી ગળું કપાવાના અને ધાબા પરથી પડી જવાના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આણંદ શહેરમાં પણ ઉતરાયણ પૂર્વે જ દોરીથી ગળું કપાવાનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના સાંગોડપુરા વિસ્તારમાં રહેતી એક ૧૫ વર્ષીય કિશોરી પતંગની ઘાતક દોરીનો શિકાર બની છે. […]

ગુજરાત મધ્ય ગુજરાત

ઉતરાયણ પૂર્વે આણંદ મનપાની ‘સેફ્ટી ડ્રાઈવ’ : ગળામાં દોરી ફસાતી અટકાવવા વાહનો પર લગાવાયા ગાર્ડ

આણંદ: આગામી ઉતરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગની કાતલ મંજધારી દોરીથી વાહનચાલકોને થતા અકસ્માતો રોકવા માટે કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા એક પ્રશંસનીય અને અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. મનપા કમિશનરના માર્ગદર્શન હેઠળ ટુ-વ્હીલર ચાલકોની સુરક્ષા માટે ખાસ ‘સેફ્ટી ગાર્ડ’ લગાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વિનામૂલ્યે ૩૫૦થી વધુ સેફ્ટી ગાર્ડનું વિતરણ […]

ગુજરાત દેશ-દુનિયા સૌરાષ્ટ્ર

સોમનાથની કાયાપલટ : પીએમ મોદીના આગમન પૂર્વે ૧૦૦૦થી વધુ કર્મયોગીઓએ સોમનાથને કર્યું ઝાકઝમાળ

સોમનાથ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૦ અને ૧૧ જાન્યુઆરી દરમિયાન સોમનાથની પવિત્ર ભૂમિ પર પધારવાના છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત ‘સોમનાથ સ્વાભિમાન પર્વ ૨૦૨૬’ ને યાદગાર બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા કોઈ કસર બાકી રાખવામાં આવી નથી. સમગ્ર સોમનાથ અત્યારે ભક્તિમય અને શિવમય બન્યું છે, ત્યારે આ પવિત્રતાને જાળવી રાખવા માટે સફાઈ […]

ગુજરાત મધ્ય ગુજરાત

કરમસદ-આણંદ મહાનગરપાલિકાનું રિકવરી અભિયાન : બાકી વેરો ભરપાઈ ન કરનાર ૧૮ દુકાનો સીલ કરી

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. મનપા કમિશનરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ ટેક્સ વિભાગની રિકવરી ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં બાકી લેણાં વસૂલવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશના ભાગરૂપે આજે અનેક મિલકતો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. મોટી ખોડીયાર રોડ પર ૧૮ દુકાનો સીલ […]

ગુજરાત સૌરાષ્ટ્ર

સોમનાથ સ્વાભિમાન પર્વ : PM નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે સોમનાથમાં દિવ્ય માહોલ

સોમનાથ: ગીર સોમનાથના પવિત્ર સાનિધ્યમાં આયોજિત ‘સ્વાભિમાન પર્વ’ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે આજે સોમનાથમાં એક અત્યંત ભવ્ય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. ગિરનાર તીર્થક્ષેત્રના નામી-અનામી સાધુ-સંતોએ એકત્ર થઈને સોમનાથના શંખચોકથી ભગવાન મહાદેવના મંદિર સુધી ભવ્ય પદયાત્રા યોજી હતી. આ યાત્રામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ડમરૂના નાદ અને ઢોલના તાલે ભક્તિની હેલી […]

ગુજરાત બિઝનેસ સૌરાષ્ટ્ર

સોમનાથના સાનિધ્યમાં નારી શક્તિનો સૂર્યોદય: ૩૬૩ મહિલાઓ બની આત્મનિર્ભર

ભારતની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહર અને આધ્યાત્મિક ચેતનાનું જીવંત પ્રતીક એવા સોમનાથ મંદિરને વિશ્વ શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર તરીકે ઓળખે છે. પરંતુ આ પવિત્ર ધામ હવે માત્ર પૂજા-અર્ચના સુધી સીમિત નથી રહ્યું, તે મહિલા સશક્તિકરણનું એક સશક્ત અને પ્રેરણાદાયક કેન્દ્ર બનીને ઊભર્યું છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની નવી દિશા પૂરી પાડવામાં આવી રહી […]

ગુજરાત મનોરંજન સૌરાષ્ટ્ર

સોમનાથના સાનિધ્યમાં ભક્તિનો મહાસાગર : શિવ આરાધનાના સૂરોએ શ્રદ્ધાળુઓને કર્યા મંત્રમુગ્ધ

સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ના પ્રથમ દિવસે ભક્તિ અને સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. મંદિર પરિસરમાં આયોજિત ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી, ડૉ. પ્રદ્યુમન વાજા અને કૌશિક વેકરિયા સહિતના મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. ઝગમગતી રોશનીથી ન્હાઈ ઉઠેલા સોમનાથ મંદિરના પટાંગણમાં દિવ્ય વાતાવરણ સર્જાયું હતું. નામી કલાકારોએ રેલાવી […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીની આંગણવાડી કેન્દ્રોમાં સરપ્રાઈઝ વિઝિટ, બાળકો સાથે સમય વિતાવ્યો

આણંદ: જિલ્લામાં પોષણ, આરોગ્ય અને પ્રારંભિક બાળ શિક્ષણ (ECCE) ની સેવાઓને વધુ સઘન અને પારદર્શક બનાવવાના હેતુથી આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) દેવાહુતી દ્વારા વિવિધ આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓના આ ઓચિંતા નિરીક્ષણથી આંગણવાડી સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. કલેક્ટર દ્વારા સિંહોલ ગામના કેન્દ્રોની સમીક્ષા જિલ્લા […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic