Monday, 18 May 2026

Tag: Local News

મનોરંજન

બોક્સ ઓફિસ પર રણવીર સિંહનો ‘ધુરંધર’ અવતાર, પહેલા જ દિવસે ૨૦૦ કરોડનો આંકડો પાર

મુંબઈ: ભારતીય સિનેમાના ઈતિહાસમાં ૧૯ માર્ચ ૨૦૨૬નો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે. રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર ૨’ એ થીયેટરોમાં રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. આ ફિલ્મે પહેલા જ દિવસે વર્લ્ડવાઈડ ૨૦૦ કરોડથી વધુનું કલેક્શન કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ પંડિતોને ચોંકાવી દીધા છે. બોલિવૂડની કોઈ ફિલ્મે અત્યાર સુધી ૧૫૦ કરોડની […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

World Sparrow Day 2026 : ઈકોલોજીકલ સંતુલન જાળવતી ચકલીઓના સંરક્ષણ માટે અરવલ્લીમાં અનોખું અભિયાન

અરવલ્લી : આજે ૨૦મી માર્ચ એટલે ‘વિશ્વ ચકલી દિવસ’. એક સમયે જેનો કિલકિલાટ દરેક ઘરના આંગણે સંભળાતો હતો, તે ચકલી આજે લુપ્ત થવાના આરે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં ચકલીઓના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. પ્રકૃતિમાં ઈકોલોજીકલ સંતુલન જાળવવાની સાથે-સાથે પરાગનયન અને બીજના વિસ્તરણમાં ચકલી અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ આધુનિકરણ અને […]

ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત

સુરતથી અમદાવાદ કારમાં લવાતો રૂ. 2.38 કરોડનો નકલી નોટોનો જથ્થો ઝડપાયો, ચીનથી મંગાવાતો સિક્યુરિટી થ્રેડ

અમદાવાદ: દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે નકલી ચલણી નોટો (FICN) ના મોટા કારોબારનો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. તાજેતરમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે અમરાઈવાડી વિસ્તારમાં ટોરેન્ટ પાવર પાસે વોચ ગોઠવી હતી. સુરતથી અમદાવાદ આવી રહેલી એક સફેદ ફોર્ચ્યુનર કાર (GJ-05-RS-5252) ને આંતરીને તપાસ કરતા તેમાંથી ₹500 ના દરની અસલી જેવી જ દેખાતી […]

ઉત્તર ગુજરાત ગુજરાત સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદની તબાહી, રાજકોટમાં ગાજવીજ અને કરા સાથે માવઠું

રાજકોટ: હવામાન વિભાગની આગાહી ફરી એકવાર સાચી ઠરી છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી વચ્ચે આજે સૌરાષ્ટ્રના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. રાજકોટ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. રાજકોટના માધાપર ચોકડી, મોરબી રોડ, બહુમાળી ભવન, કેકેવી હોલ, બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન જેવા વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

નમામિ દેવી નર્મદે : શ્રદ્ધાના ઘોડાપૂર સાથે ‘ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા’નો મંગલ પ્રારંભ

નર્મદા: ‘નર્મદે સર્વદે’ અને ‘નમામિ દેવી નર્મદે’ના ગુંજારવ સાથે આજથી પવિત્ર ‘ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા’નો દિવ્ય પ્રારંભ થયો છે. પુરાણોમાં નર્મદા મૈયાના દર્શન માત્રથી પાપોનું નિવારણ થતું હોવાનું માહાત્મ્ય છે, ત્યારે ચૈત્ર માસના આ પવિત્ર અવસરે વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓએ નર્મદા સ્નાન કરી, માતા નર્મદા અને ભગવાન રણછોડજીના દર્શન કરીને પરિક્રમાની શરૂઆત કરી છે. ૧૯ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા : રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસમાં ગુઢીપડવાની ભવ્ય ઉજવણી

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં આજે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા નૂતન વર્ષ ‘ગુઢીપડવા’ના પર્વની અપાર શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરાના રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા વર્ષોની પરંપરાને જાળવી રાખીને લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ગુઢી બનાવી પૂજા-અર્ચના કરવામાં આવી હતી. મહારાષ્ટ્રીયન સંસ્કૃતિમાં ગુઢીપડવાને નવા વર્ષના પ્રારંભ તરીકે માનવામાં આવે છે, ત્યારે રાજવી પરિવારે શ્રદ્ધાપૂર્વક આ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

આજથી શક્તિની આરાધનાના પર્વનો પ્રારંભ, વડોદરા સહિતના માઈ મંદિરોમાં ભક્તોનું મહેરામણ ઉમટ્યું

વડોદરા: આજથી આદ્યશક્તિની આરાધનાના પાવન પર્વ ‘ચૈત્રી નવરાત્રી’નો મંગલ પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ ગુજરાતના ખૂણેખૂણે આવેલા માઈ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ‘બોલ માડી અંબે.. જય જય અંબે’ ના જયઘોષ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા હતા. ભક્તોમાં એક અનેરો ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે. શક્તિપીઠો પર ભક્તોની ભારે ભીડ ચૈત્રી […]

ઉત્તર ગુજરાત ગુજરાત

ચૈત્ર નવરાત્રી ૨૦૨૬ : અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શનનું નવું સમયપત્રક જાહેર

અંબાજી: આવતીકાલથી આદ્યશક્તિની આરાધનાના પર્વ એટલે કે ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પર્વને લઈને શક્તિપીઠ અંબાજી અને પાવાગઢ સહિતના યાત્રાધામોમાં માઈભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રી દરમિયાન લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે, જેને ધ્યાને રાખીને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવાની જાહેરાત […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2026 : શ્રદ્ધાળુઓની સુવિધા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સજ્જ

નર્મદા: ચૈત્ર માસમાં યોજાતી પવિત્ર ‘ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2026’ ને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશભરમાંથી આવતા લાખો પરિક્રમાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આધુનિક સુવિધાઓનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના સુવ્યવસ્થિત આયોજનને કારણે દર વર્ષે […]

ઉત્તર ગુજરાત ગુજરાત

ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, નાયબ મુખ્યમંત્રીએ બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન બુધવારે એકાએક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિધાનસભા પરિસરને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો સંદેશ મળતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે તાત્કાલિક અસરથી સમગ્ર વિધાનસભા ભવનને ખાલી કરાવવામાં આવ્યું હતું. મંત્રીઓ, ધારાસભ્યો અને સચિવાલયના કર્મચારીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સઘન સર્ચ ઓપરેશન […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic