Friday, 19 June 2026

Tag: Nadiad News

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદવાસીઓ નોંધ લેજો! મિલ રોડથી કમળા ચોકડી સુધીનો રસ્તો આગામી ૬ મહિના સુધી બંધ

​​નડિયાદ. નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ત્રણ મહત્વના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા છે, જેમાં સેન્ટ્રલ પમ્પિંગ સ્ટેશનથી મેઈન સ્ટેશન સુધી રાઈઝિંગ મેઈન લાઈન નાખવી, પારસ સર્કલથી કપડવંજ રોડ સુધી સ્ટ્રોમ વોટર લાઈનની કામગીરી અને કમળા રોડ કાંસ ઉપર બોક્સ કલ્વર્ટ બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે. જે અન્વયે નડિયાદમાં મિલ રોડથી કમળા ચોકડી સુધીનો મુખ્ય માર્ગ 17 […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદ : સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવ ‘ચેટીચંડ’ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

નડિયાદ: ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં આજે સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવ અને સિંધી નૂતન વર્ષ ‘ચેટીચંડ’ પર્વની ભવ્ય અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સમગ્ર નડિયાદ શહેરમાં સિંધી સમાજ દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને વહેલી સવારથી જ મંદિરોમાં દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. જવાહરનગરથી નીકળી ભવ્ય […]

ગુજરાત મધ્ય ગુજરાત

ખેડા જિલ્લામાં વસ્તી ગણતરી ૨૦૨૭ની તૈયારીઓ તેજ, ૭૦ ફિલ્ડ ટ્રેનર્સની તાલીમ સાથે શુભારંભ

નડિયાદ: ખેડા જિલ્લામાં આગામી વસ્તી ગણતરી ૨૦૨૭ની કામગીરીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. જિલ્લા કલેક્ટર અને મુખ્ય જિલ્લા વસ્તી ગણતરી અધિકારી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે ૭૦ ફિલ્ડ ટ્રેનર્સ માટેની વિશેષ તાલીમ કાર્યશાળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ વખતે વસ્તી ગણતરીની પ્રક્રિયામાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરીને તેને વધુ સચોટ અને ઝડપી બનાવવામાં આવશે. […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદમાં ‘મિલેટ મહોત્સવ’નું આયોજન, મનપા કમિશનર જી.એચ. સોલંકીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

નડિયાદ: ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ ૨૦૨૩ અંતર્ગત રાજ્યભરમાં બાજરી, જુવાર અને રાગી જેવા જાડા અનાજ (મિલેટ્સ) ના પ્રચાર-પ્રસાર માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ અંતર્ગત ખેડૂતોને મિલેટની ખેતી માટે પ્રોત્સાહિત કરવા, પ્રાકૃતિક ખેતીના ફાયદા સમજાવવા અને મૂલ્યવર્ધન દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના હેતુથી નડિયાદ ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદ લોક અદાલતમાં ઐતિહાસિક સિદ્ધિ, ૩૪ કરોડથી વધુની રકમનું સમાધાન, ૧૪ હજારથી વધુ કેસોનો નિકાલ

નડિયાદ: રાષ્ટ્રીય અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર ૧૪ માર્ચ ૨૦૨૬ના રોજ ખેડા જિલ્લાના નડિયાદ મુખ્ય મથક સહિત તમામ તાલુકા મથકોની કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત લાંબા સમયથી ચાલતા વિવાદોનો અંત લાવી પક્ષકારો વચ્ચે કાયમી સમાધાન સાધવામાં આવ્યું હતું. લોક અદાલતમાં કુલ ૧૪,૪૫૩ કેસોનો નિકાલ કરવામાં […]

ગુજરાત મધ્ય ગુજરાત લાઈફસ્ટાઈલ

ખેડા જિલ્લાના ૧૦.૩૪ લાખ પશુઓ માટે ‘હીટવેવ એડવાઈઝરી’, પશુપાલકોને ખાસ તકેદારી રાખવા અપીલ

નડિયાદ: ગુજરાતમાં ઉનાળાનો પારો સતત વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ખેડા જિલ્લા સહિત ચરોતર વિસ્તારમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ કાળઝાળ ગરમીની અસર માત્ર માનવીઓ પર જ નહીં, પરંતુ અબોલ પશુ-પક્ષીઓ પર પણ થતી હોય છે. ખેડા જિલ્લાના અંદાજે ૧૦.૩૪ લાખ જેટલા પાલતુ અને દૂધાળા પશુઓને હીટસ્ટ્રોકથી બચાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદના આચાર્યની હોટલમાં લંપટ લીલા, બાળકના LC માટે માતાને હોટલમાં બોલાવી પકડાયો

નડિયાદ: ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, પરંતુ નડિયાદની એક શાળાના આચાર્યએ આ પવિત્ર સંબંધને કલંકિત કર્યો છે. નડિયાદની એક શાળાના ઇન્ચાર્જ આચાર્યએ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધ અને શિક્ષણ જગતને લાંછન લગાડતું કૃત્ય આચર્યું છે. નડિયાદની સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય કિરીટસિંહ ઝાલા અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલી ‘હોટલ રોયલ ઇન’ માંથી એક મહિલા સાથે વાંધાજનક હાલતમાં ઝડપાઈ […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદની કોલેજની વિદ્યાર્થિનીનું હૃદયદ્રાવક સંશોધન, ‘ઘર’ હવે આંગણું નહીં પણ આશ્રમ બન્યું

નડિયાદ: આજના હાઈટેક યુગમાં આપણે ભલે ટેકનોલોજીની દ્રષ્ટિએ આસમાને પહોંચ્યા હોઈએ, પરંતુ માનવીય સંવેદનાઓના સ્તરે પાતાળમાં જઈ રહ્યા હોય તેવું પ્રતીત થાય છે. નડિયાદની પ્રખ્યાત સી.બી. પટેલ આર્ટ્સ કોલેજની મનોવિજ્ઞાન વિભાગની વિદ્યાર્થિની વિધિ ચૌહાણ દ્વારા કરવામાં આવેલા એક મનોવૈજ્ઞાનિક સંશોધને સમાજની વરવી વાસ્તવિકતા ખુલ્લી પાડી છે. ‘વૃદ્ધાશ્રમ પ્રત્યે લોકોની માનસિકતા’ વિષય પર હાથ ધરવામાં આવેલા […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદમાં ભક્તિ અને આનંદનો સંગમ : આજથી સંતરામ મેળાની જમાવટ, ટ્રાફિક ડાયવર્ઝન જાહેર

નડિયાદ: ખેડા જિલ્લાના હૃદય સમાન નડિયાદ શહેરમાં આજથી પરંપરાગત અને સુપ્રસિદ્ધ સંતરામ મેળાનો મંગલ પ્રારંભ થયો છે. યોગીરાજ સંતરામ મહારાજના ૧૯૫માં સમાધિ મહોત્સવના ઉપલક્ષમાં યોજાતા આ મેળામાં ઉમટતી જનમેદનીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા અભેદ્ય સુરક્ષા અને વ્યવસ્થાના ચક્રવ્યૂહ ગોઠવવામાં આવ્યા છે. આજથી એટલે કે 30 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી આ મેળાની […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદ : સંતરામ મંદિરના ૧૯૫માં સમાધિ મહોત્સવ માટે વહીવટી તંત્ર સજ્જ

નડિયાદ: ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના ૧૯૫માં સમાધિ મહોત્સવની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. મહાસુદ પૂનમના દિવસે યોજાનારી વિશ્વવિખ્યાત સાકર વર્ષા અને પરંપરાગત મેળામાં દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. આ ભવ્ય આયોજનને આખરી ઓપ આપવા માટે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ધારાસભ્ય પંકજ દેસાઈની […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic